આખરે WHOએ સ્વીકાર્યું, હવા દ્વારા પણ ફેલાઈ શકે છે કોરોના વાયરસ

અગાઉ WHO આ વાતને સ્વીકારવા તૈયાર નહતું પરંતુ કેટલાક ખાસ કેસ અને એ વાતના નક્કર પુરાવાની ચકાસણી કર્યા બાદ હવે તેણે આ અંગે એક નિવેદન આપ્યું. 

આખરે WHOએ સ્વીકાર્યું, હવા દ્વારા પણ ફેલાઈ શકે છે કોરોના વાયરસ

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી (Corona Virus) એ સમગ્ર દુનિયાને સકંજામાં લીધી છે. તેનો પ્રકોપ સતત વધી રહ્યો છે. જેના પર લગામ કસવી લગભગ અશક્ય જોવા મળી રહી છે. ભારતમાં પણ છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. જેને જોતા ખાસ સાવધાની વર્તવાની સલાહ આપવામાં આવી રહી છે. દુનિયાના અનેક ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ એ વાત પર સતત સહમતિ વ્યક્ત કરી કે કોરોના વાયરસનો ચેપ કદાચ હવા દ્વારા પણ ફેલાઈ રહ્યો છે. WHOએ  પણ આખરે મંગળવારે સ્વીકાર્યું કે એ વાતથી ઈન્કાર ન કરી શકાય કે કોરોના વાયરસનો ચેપ હવા દ્વારા ફેલાતો નથી.

અગાઉ WHO આ વાતને સ્વીકારવા તૈયાર નહતું પરંતુ કેટલાક ખાસ કેસ અને એ વાતના નક્કર પુરાવાની ચકાસણી કર્યા બાદ હવે તેણે આ અંગે એક નિવેદનમાં કહ્યું કે એ વાતથી ઈન્કાર કરી શકાય નહીં કે કોરોના વાયરસનો ચેપ હવા દ્વારા ફેલાતો નથી. તેનો અર્થ એ થયો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ હવે લગભગ સ્વીકાર્યું છે કે કોરોના વાયરસનો ચેપ હવા દ્વારા પણ ફેલાઈ શકે છે. WHOમાં કોવિડ-19 મહામારી સંબંધિત ટેક્નિકલ લીડ ડોક્ટર મારિયા વા કેરખોવે એક ન્યૂઝ બ્રિફિંગમાં કહ્યું કે 'અમે હવા દ્વારા કોરોના વાયરસ ફેલાવવાની આશંકા પર વાત કરી રહ્યા છીએ. '

આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠનની બેનેદેત્તા આલ્લેગ્રાંઝીએ કહ્યું કે 'કોરોના વાયરસના હવાના માધ્યમ (airborne )થી ફેલાવવાના પુરાવા તો મળી રહ્યાં છે પરંતુ હજુ તે પાક્કા પાયે ન કહી શકાય. તેમણે કહ્યું કે 'જાહેર જગ્યાઓ પર ખાસ કરીને ભીડભાડવાળી, ઓછી હવાવાળી, અને બંધ જગ્યાઓ પર હવા દ્વારા વાયરસ ફેલાવવાની આશંકાથી ઈન્કાર કરી શકાય નહીં. જો કે આ  પુરાવાને ભેગા કરવાની અને સમજવાની જરૂર છે. અમે આ કામ ચાલુ રાખીશું.'

અત્રે જણાવવાનું કે આ અગાઉ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સતત કહી રહ્યું હતું કે કોરોના વાયરસ મુખ્યત્વે સંક્રમિત વ્યક્તિના નાક અને મોઢામાંથી નીકળેલા સુક્ષ્મ ટીપાના માધ્યમથી ફેલાય છે. WHOએ એમ પણ કહી રહ્યું છે કે લોકોમાં ઓછામાં ઓછું 3.3 ફૂટનું અંતર હોય તો કોરોના વાયરસના ચેપની રોકથામ શક્ય છે. પરંતુ હવે જો હવા દ્વારા વાયરસ ફેલાવવાની વાત સંપૂર્ણ રીતે સાબિત થાય તો 3.3 ફૂટનું અંતર અને ફિઝિકલ ડિસ્ટન્સિંગના નિયમોમાં પણ ફેરફાર કરવો પડશે. 

વાન કેરખોવે કહ્યું કે 'આવનારા દિવસોમાં WHO આ અંગે એક બ્રિફ બહાર પાડશે. તેમણે કહ્યું કે વાયરસના પ્રસારને રોકવા માટે મોટા પાયે રોકથામ જરૂરી છે. તેમાં માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં પરંતુ માસ્કનો ઉપયોગ અને અન્ય નિયમો પણ સામેલ છે.'

નોંધનીય છે કે ક્લિનિકલ ઈન્ફેક્શિયસ ડિસિઝ જર્નલમાં સોમવારે પ્રકાશિત થયેલા એક ઓપન લેટરમાં 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ એ વાતના પુરાવા આપ્યા હતાં કે કોરોના વાયરસ એક 'ફ્લોટિંગ વાયરસ' છે. જે હવામાં રોકાઈ શકે છે અને શ્વાસ લેતી વખતે લોકોને સંક્રમિત કરી શકે છે. જો કે જે વૈજ્ઞાનિકો અને ડોક્ટરો દ્વારા આ મામલે પહેલ કરાઈ હતી તેમને એક મહત્વની સફળતા મળી છે. જેનાથી કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં ઘણી મદદ મળશે. 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને લખેલા આ ઓપન લેટરમાં વૈજ્ઞાનિકોએ ભલામણ કરી હતી કે તેણે કોરોના વાયરસના આ પહેલુ પર ફરીથી વિચાર કરવો જોઈએ અને નવા દિશા નિર્દેશ બહાર પાડવા જોઈએ. 

જુઓ LIVE TV

વાત જાણે એમ છે કે છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ભારતમાં પણ અનેક રાજ્યોમાં અને કેટલાક મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસ ખુબ ઓછા હતાં પરંતુ અચાનક સંક્રમણમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠન દ્વારા આ વાતના સ્વીકાર સાથે જ હવે એ વાતનું પણ વિશેષ ધ્યાન રાખવું પડશે કે જ્યારે પણ તમે બહાર નીકળો કે પછી ખુલ્લી હવામાં બેસો તો માસ્ક જરૂર પહેરી રાખો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news